૧૧-મમતા ઘર
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
મમતા ઘર
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં
માપદંડ
|
કોઈ પણ સગર્ભા
|
૩
|
યોજના
અંતર્ગત સહાય/લાભ
|
નક્કી કરેલ પ્રા.આ.કેન્દ્ર, સા.આ.કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ કે એન.જી,ઓ. હોસ્પિટલ જ્યાં “મમતા
ઘર” મંજુર થયેલ છે ત્યાં સગર્ભા માતાને તેની સુવાવડની તારીખ પહેલા આવીને રહી શકે
છે. તે દરમ્યાન સગર્ભાને જરૂરી પોષણક્ષમ આહાર, તબીબી સેવાઓ
વિનામૂલ્યે મળવાપાત્ર છે તથા સાથે આવનાર વ્યક્તિને પણ વિના મુલ્યે આહાર આપવાની સગવડ
કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત કોઈ રોકડ લાભ મળવાપાત્ર નથી.
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
“મમતા
ઘર” માં પોતાનું નામ નોધાવવાનું રહેશે.
|
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
યોજનાનો લાભ નક્કી કરેલ સ્વાસ્થ્ય કેન્દ્ર
ઉપર ચાલુ કરવામાં આવેલ “મમતા ઘર” ઉપરથી મળશે.
|