૧૫ - મુખ્યમંત્રી
અમૃતમ “માં” યોજના/”માં વાત્સલ્ય” યોજના
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
મુખ્યમંત્રી અમૃતમ યોજના – માં યોજના
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
આ યોજના રાજયના તમામ જીલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના
( નગરપાલિકા વિસ્તાર, મહાનગરપાલિકા વિસ્તાર અને નોટીફાઈડ એરીયા) ગ્રામ્ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના (મહતમ ૫ વ્યક્તિ સુધી) ને લાગુ પાડવામાં આવી છે. તેમજ હાલમાં વાત્સલ્ય યોજના અંતર્ગત “વાર્ષિક રૂ।.૧.૨૦ લાખ” થી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોના તમામ સભ્યો ને લાભ (મહતમ ૫ વ્યક્તિ સુધી) આપવામાં આવશે. નવા જન્મતા બાળકને છઠા સભ્ય તરીકે લાભ મળવાપાત્ર રહે છે. |
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
આ યોજના હેઠળ હદય, મગજ અને કીડનીને લગતી ઘનિષ્ઠ
સારવાર બર્ન્સ કેન્સર, ગંભીર ઈજાઓ તેમજ નવજાત શીશીઓના રોગો
જેવી ગંભીર બીમારીઓ માટે કુટુંબદીઠ વાર્ષિક મહતમ રૂ.૨૦૦૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ
) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે.
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
આ યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ “માં કે માં વાત્સલ્ય”
કાર્ડ કઢાવવું જરૂરી
છે. જે તાલુકા કિઓસ્ક પરથી જરૂરી ડોક્યુમેન્ટ આપી મેળવી લેવાનું રહેશે.
|
૫
|
યોજનાનો
લાભ ક્યાંથી મળશે
|
આ યોજના હેઠળ નિયત ચેકલીસ્ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી / અનુદાન
મેળવતી સંસ્થાઓ / ખાનગી હોસ્પિટલોને કરારબદ્ધ કરવામાં આવે છે. આ કરારબધ્ધ થયેલ હોસ્પિટલ
માં લાભાર્થીઓ ને સારવારનો લાભ આપવામાં આવે છે.
|