૦૩-બાળ સખા યોજના
અ.નં.
|
વિગતો
|
|
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
બાળ સખા યોજના
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
આ યોજનામાં ગરીબી રેખા હેઠળનાં(બી.પી.એલ.કાર્ડ ધરાવતા) કુટુંબનાં
૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસુચિત જન જાતિના તથા
વાર્ષિક રૂ.૨,૦૦,૦૦૦ લાખની વાર્ષિક આવક ધરાવતા “નીયોમિડલ ક્લાસ” કુટુંબનાં તમામ નવજાત શિશુઓને
લાભ આપવામાં આવે છે.
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
આ યોજના હેઠળનાં લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી
બાળરોગ નિષ્ણાંતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇપણ બિમારી માટે
નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળ રોગ નિષ્ણાંત નવજાત શિશુનાં સગાને વાહનવ્યવહાર
પેટે રૂ.૨૦૦/- લેખે વાઉચર ઉપર સહી લઈને તુરત જ ચૂકવી આપશે.
|
૪
|
યોજનાનો
લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય,
તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા પછી ૩૦ દિવસની ઉમર સુધી આ યોજનાનો
લાભ મળવા પાત્ર છે. કોઇપણ આરોગ્ય કર્મચારી/આશા દ્વારા તે રીફર થયેલ હોવો જોઈએ
|
૫
|
યોજનાનો
લાભ ક્યાંથી મળશે
|
જિલ્લામાં
જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબોને ત્યાં.
|