૦૧-ચિરંજીવી યોજના
અ.નં.
|
વિગતો
| |
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
ચિરંજીવી યોજના
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
આ યોજનામાં ગરીબી રેખા હેઠળની(બી.પી.એલ.કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની(એ.પી.એલ.કાર્ડ ધરાવતી) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
આ યોજના હેઠળ પ્રસુતા બહેનો સરકાર દ્વારા નક્કી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મુલ્યે પ્રસુતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઇપણ રકમ ચુકવવાની હોતી નથી. એટલું જ નહી પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ડોક્ટર જ આપશે અને તે પણ વિના મુલ્યે ઉપરાંત પ્રસુતાને દવાખાને આવવા માટે ભાડા પેટે રૂ.૨૦૦ ડોક્ટર દ્વારા રોકડા આપવામાં આવશે
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
|
યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે. અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે બી.પી.એલ કાર્ડની નકલ અથવા આવકનો દાખલો મુકવાનો થાય છે.
|
૫
|
યોજનાનો લાભ ક્યાંથી મળશે
|
જિલ્લામાં ચિરંજીવી યોજનામાં જોડાયેલ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોને ત્યાં.
|