Friday, 28 July 2017

૦૧-ચિરંજીવી યોજના



૦૧-ચિરંજીવી યોજના
અ.નં.
વિગતો
યોજનાનું નામ/પ્રકાર
ચિરંજીવી યોજના
યોજનાના લાભાર્થીની  પાત્રતાનાં માપદંડ
આ યોજનામાં ગરીબી રેખા હેઠળની(બી.પી.એલ.કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની(એ.પી.એલ.કાર્ડ ધરાવતી) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
યોજના અંતર્ગત સહાય/લાભ
આ યોજના હેઠળ પ્રસુતા બહેનો સરકાર દ્વારા નક્કી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મુલ્યે પ્રસુતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઇપણ રકમ ચુકવવાની હોતી નથી. એટલું જ નહી પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ડોક્ટર જ આપશે અને તે પણ વિના મુલ્યે ઉપરાંત પ્રસુતાને દવાખાને આવવા માટે ભાડા પેટે રૂ.૨૦૦ ડોક્ટર દ્વારા રોકડા આપવામાં આવશે
યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ
યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે. અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે બી.પી.એલ કાર્ડની નકલ અથવા આવકનો દાખલો મુકવાનો થાય છે.
યોજનાનો લાભ ક્યાંથી મળશે
જિલ્લામાં ચિરંજીવી યોજનામાં જોડાયેલ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોને ત્યાં.